આંગણવાડીના ભૂલકાઓ માટે ખાસ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેમને જ્ઞાન સાથે ગમ્મત પણ મળી રહે. સાંસદ શ્રી અમિતભાઈ શાહ દ્વારા શરૂ કરાયેલ આ પહેલ હેઠળ સમયાંતરે નિ:શૂલ્ક પ્રવાસ યોજવામાં આવે છે જેમાં બાળકોને લેવા મૂકવાની સુવિધાથી લઈને પૌષ્ટિક નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવે છે. ઉપરાંત બાળકોને અલગ અલગ રાઇડ્સની મજા પણ માણવા મળે છે અને એટલે જ આ પ્રવાસ એમના માટે જીવનભરનું સુંદર સંભારણું બની રહે છે.